ShortNews in English
Bhuj: 04.04.2013
Acharya Mahashraman said to people follow way of morality.
News in Hindi
મહાશ્રમણજીને આવકારવા ભુજમાં થનગનાટ
પ્રમાણિકતા અને નૈતિકતાના ગુણો કેળવશું તો, ભારત આપોઆપ બનશે
આજે ભુજમાં તેરાપંથ જૈનસંઘનો દીક્ષા સમારોહ
ભુજોડીમાં વર્ધમાનનગર ખાતે આપ્યા આશીર્વચન
.ભુજ 4 2013 જૈન તેરાપંથ ન્યુજ બ્યોરો
વ્યસનમુકિત અને અહિંસાના સંદેશા સાથે નીકળેલા તેરાપંથ જૈન સંપ્રદાયના આચાર્ય મહાશ્રમણજીના ભુજોડી સ્થિત નગરપ્રવેશે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. ૯૦ જેટલા જૈનમુનિ સાથે આવેલા આચાર્યે ધર્મસભા સંબોધતાં જો ભારતને ખરા અર્થમાં નો દેશ બનાવવો હોય તો પ્રમાણિકતા અને નૈતિકતાના ગુણો કેળવવા ભારપૂર્વક શીખ આપી હતી.
૧૮ માર્ચે આડેસરમાં પગપાળા પ્રવેશેલા મહાશ્રમણજીએ મંગળવારે સવારે ભુજોડીમાં પ્રવેશ કર્યો, ત્યારે ઉપસ્થિત ૫૦૦ જેટલા શ્રાવકે આચાર્ય તુલસીનો જયઘોષ કરતાં વાતાવરણ ભકિતમય બની ગયું હતું. આ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં તેમણે જણાવ્યું હતું કે, અણુવ્રતમાં પણ જેને અગ્રીમ મહત્ત્વ અપાયું છે તેવા પ્રમાણિકતાના ગુણો દરેક વ્યકિતએ કેળવવા જોઇએ. પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ૪૬ વર્ષ પૂર્વે આચાર્ય તુલસીએ અણુવ્રત આચારસંહિતાના સંદેશ સાથે કરછનો પ્રવાસ કર્યોહતો. ત્યાર બાદ વર્ષ ૦૩/૦૪માં મહાપ્રજ્ઞજીએ ગુજરાતમાં અહિંસાયાત્રા શરૂ કરી, પણ તેઓ કરછ પહોંચી શકયા ન હતા. આમ, તેની અહિંસાયાત્રા પૂર્ણ કરવા હું આ જિલ્લાનો પ્રવાસ ખેડી રાો છું. વિશ્વભરમાં શાંતિ સ્થપાય અને સમગ્ર ભારત વ્યસનમુકત બને તેવા મુખ્ય ઉદે્શ સાથે નીકળેલા મહાશ્રમણજીએ જીવનમાં નૈતિક મૂલ્યો જાળવી રાખવા હાકલ કરી હતી.
આ પ્રસંગે વર્ધમાનનગર ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ ઇશ્વરભાઇ દેસાઇ, મંત્રી આર.સી.શાહ, અશોકભાઇ શાહ, દીપકભાઇ મહેતા, ભુજ તેરાપંથ સમાજના પ્રમુખ ભરત મહેતા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વાલુબેન મંગેરિયા, ભુજોડીના સરપંચ લાખુબેન રબારી, નિતિન ઝવેરી સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રાા હતા.